[ad_1]
સપાના વરિષ્ઠ વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચને પડદા પાછળથી કેન્દ્ર સરકાર દોરીસંચાર કરી રહી છે. તેમણે શિવસેનાના પ્રતીકને ફ્રીઝ કરવાના નિર્ણય સામે પણ વાંધો ઉઠાવ્યો. સિબ્બલે કહ્યું કે ‘ધનુષ અને બાણ’ મૂળ ઉદ્ધવના નેતૃત્વવાળી શિવસેનાની છે.
સિબ્બલે કહ્યું હતું કે ચૂંટણી પંચ આમ તો સરકારને આધિન હોય છે, પણ જાહેરમાં એને ઇલેક્શન કમિશન કહેવાય છે. સરકારની બોલી બોલતી આવી સંસ્થાઓ પર ધિક્કાર છે. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે પંચે શિવસેનાનું ચિહ્ન ફ્રીઝ કરી દીધું છે. લોકશાહી પણ આના કારણે ‘ફ્રિઝ’ થઇ ગઇ છે. ધનુષ અને તીર સિમ્બોલ ઉદ્ધવના નેતૃત્વવાળી અસલી શિવસેનાનું છે.
નોંધનીય છે કે શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંને શિવસેના પર પોતાનો દાવો કરી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે, જ્યાં સિબ્બલ ઉદ્ધવ વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે.
કપિલ સિબ્બલ ચૂંટણી પંચથી ખૂબ નારાજ છે. વાસ્તવમાં તેઓ સુપ્રીમ કોર્ટમાં શિવસેના વતી વકીલ છે. શિંદે જૂથ અને શિવસેના જૂથ વચ્ચે ચૂંટણી પ્રતિક માટે લડાઈ ચાલી રહી છે, જેને ચૂંટણી પંચે સ્થગિત કરી દીધું છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોર્ટે આ મામલે ઘણી વખત મહત્વની ટિપ્પણીઓ પણ કરી છે. હવે આયોગે કહ્યું છે કે રાજકીય પક્ષોએ વચન સાથે જણાવવું પડશે કે તેઓ આ વચન કેવી રીતે પૂર્ણ કરશે અને તેના માટે પૈસા ક્યાંથી આવશે. ચૂંટણી પંચના આ પત્ર બાદ રાજકીય પક્ષોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
[ad_2]